ગૌતમ અદાણી ભારત સહિત એશિયાના ટોચના ધનિકોમાંથી એક.
ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની સામે અમેરિકામાં છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે.
તેમના પર આરોપ છે કે તેમણે અમેરિકામાંથી નાણાં ઊભા કરવા માટે 250 મિલિયન ડૉલરની (અંદાજે રૂ. બે હજાર 100 કરોડ) લાંચ આપવાની તૈયારી દાખવી અને તેને છુપાવી.
બુધવારે ન્યૂ યૉર્કની કોર્ટમાં મૂકાયેલો આ આરોપ, ભારતની સૌથી અમીર વ્યક્તિઓમાંથી એક ગૌતમ અદાણી માટે એક મોટા ઝટકા સમાન હતો.
અદાણીના વેપારનું સામ્રાજ્ય પૉર્ટ્સ, ઍરપૉર્ટ અને રિન્યુએબલ ઍનર્જીના ક્ષેત્રમાં વિકસેલું છે.
અમેરિકાની કોર્ટમાં મૂકાયેલા તોહતનામામાં સરકારી પક્ષે આરોપ મૂક્યો છે કે ઉદ્યોગપતિ અને તેમના વરિષ્ઠ અધિકારીઓએ તેમની રિન્યુએબલ ઍનર્જી કંપનીને કૉન્ટ્રેક્ટ અપાવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ ચૂકવવા રાજી હતા.
કંપનીને અપેક્ષા હતી કે આ કૉન્ટ્રેક્ટથી આગામી 20 વર્ષમાં બે બિલિયન ડૉલરથી વધુનો નફો કંપનીને થશે.
અદાણી જૂથે આ મામલે પ્રતિક્રિયાની વિનંતી છતાં હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.
અદાણી પરના આરોપનામામાં શું છે?
ગૌતમ અદાણી ઉપરના તાજેતરના આરોપો ઉપર શેરબજાર અને રોકાણકારો કેવી પ્રતિક્રિયા આપે છે, તેની ઉપર નજર રહેશે.
અમેરિકાની એક કંપનીએ 2023માં અદાણી જૂથ પર છેતરપિંડીનો આરોપ મૂકતો અહેવાલ પ્રકાશિત કર્યો હતો ત્યારથી અદાણી જૂથ અમેરિકામાં શંકાના દાયરામાં છે. ગૌતમ અદાણીએ કંપની દ્વારા કરવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા હતા. એ ટૂંકાગાળા દરમિયાન અદાણી જૂથની કંપનીના શૅરોમાં ભારે વેચાવલી થઈ હતી.
આ લાંચની તપાસનો અહેવાલ મહિનાઓ સુધી ફરતો રહ્યો હતો. સરકારી પક્ષનું કહેવું છે કે અમેરિકાએ 2022માં કંપનીની તપાસ કરવાનું શરૂ કર્યું હતું અને તપાસમાં અડચણ જોવા મળી હતી.
તેમની પર આરોપ છે કે કંપનીએ લાંચવિરોધી પદ્ધતિઓ અને પૉલિસીને લઈને ખોટા અને ગેરમાર્ગે દોરનારાં નિવેદનો આપીને લોન અને બૉન્ડ્સ દ્વારા ત્રણ અબજ ડૉલર (રૂ. 253 અબજ લગભગ) એકઠા કર્યા હતા.
આરોપ છે કે કંપનીના અધિકારીઓએ લોન અને બૉન્ડ્સના માધ્યમથી ત્રણ અરબ ડૉલર એકઠા કર્યા. જેમાં અમેરિકાની કંપનીઓએ પણ રોકાણ કર્યું હતું.
અદાણી જૂથ પર આરોપ છે કે કપંનીએ પોતાની લાંચવિરોધી નીતિઓ અને આચરણ વિશે ગેરમાર્ગે દોરનારા ખોટા નિવેદન કરીને આ નાણાં એકઠાં કર્યાં હતાં.
અમેરિકાના ઍટર્ની બ્રિયોન પીસે આરોપ વિશે ચર્ચા કરતા કહ્યું, ‘આરોપ મુજબ, પ્રતિવાદીઓએ અબજો ડૉલરના કૉન્ટ્રેક્ટ મેળવવા માટે ભારતના સરકારી અધિકારીઓને લાંચ આપવાનું કાવતરું ઘડ્યું હતું તથા લાંચ વિશે જૂઠ્ઠું બોલ્યા કારણ કે તે અમેરિકા અને વૈશ્વિક રોકાણકારો પાસેથી રૂપિયા મેળવવાના પ્રયત્નો કરી રહ્યા હતા.’
બ્રિયોન પીસે કહ્યું, ‘મારું કાર્યાલય આંતરરાષ્ટ્રીય બજારમાંથી ભ્રષ્ટાચારને જડમૂળમાંથી ખતમ કરી નાખવા માટે પ્રતિબદ્ધ છે. આ સિવાય રોકાણકારોને એવા લોકોથી બચાવવાનું છે, જે આપણા નાણાકીય બજારોની વિશ્વસનીયતાની કિંમત પર પોતાને અમીર બનાવવા ઇચ્છે છે.’
અધિકારીઓનું કહેવું છે કે ખુદ ગૌતમ અદાણીએ અનેક વખત સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને લાંચ આપવા વિશે ચર્ચા કરી હતી.
ગૌતમ અદાણીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીક માનવામાં આવે છે. વિપક્ષના નેતાઓએ અનેક વખત આરોપ મૂક્યા છે કે ગૌતમ અદાણીને તેમના રાજકીય સંપર્કોથી લાભ થયો છે, જોકે અદાણીએ આવા આરોપોને હંમેશા નકર્યા છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિ દ્વારા ઍટર્નીની નિમણૂક કરવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીત્યા, તેના ગણતરીના અઠવાડિયાંમાં જ આ ફાઇલિંગ દાખલ થયું છે. ટ્રમ્પે અમેરિકાના ન્યાયતંત્રમાં ધરમૂળથી ફેરફાર લાવવાની વાત કહી છે.
ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા ઉપર ટ્રમ્પને વિજય બદલ શુભકામનાઓ પાઠવી હતી અને અમેરિકામાં 10 અબજ ડૉલરના (રૂ. 840 અબજ) રોકાણની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
🗞️ Related Articles:-
No comments:
Post a Comment