અદાણી ગ્રૂપ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં અમેરિકાના આરોપોને નિરાધાર ગણાવાયા છે.
નિદેવનમાં અદાણી જૂથના પ્રવક્તાએ કહ્યું કે, "અમેરિકાના ન્યાય મંત્રાલય અને સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ કમિશને અદાણી ગ્રીનના નિદેશક પર જે આરોપ લગાવ્યા છે તે નિરાધાર છે અને અમે તેમને ફગાવીએ છીએ."
આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે એ જ્યાર સુધી સાબિત નથી થતાં ત્યાર સુધી તેમને નિર્દોષ માનવામાં આવે". જૂથે મામલામાં બધા કાયદાકીય વિકલ્પ શોધવાની વાત કહી છે.
અદાણી જૂથે કહ્યું છે કે કંપની પારદર્શિતાના ઉચ્ચ માપદંડોનું પાલન કરે છે. અદાણી જૂથે પોતાના સ્ટેકહોલ્ડર્સ, પાર્ટનર્સ અને કર્મચારીઓને સંબોધિત કરતા કહ્યું છે કે તે કાયદાનું પાલન કરનારું જૂથ છે.
બુધવારના ન્યૂ યૉર્કના અટર્નીએ ગૌતમ અદાણી પર અમેરિકામાં છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.
તેમની પર અમેરિકામાં પોતાની એક કંપનીને કૉન્ટ્રેક્ટ અપાવવા માટે 25 કરોડ ડૉલરની લાંચ આપવા અને આ મામલાના છુપાવવાનો આરોપ લગાવ્યો છે.
રાહુલ ગાંધીએ ગૌતમ અદાણી પર અમેરિકામાં લાગેલા આરોપ વિશે શું કહ્યું.
અમેરિકામાં ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર આરોપ ઘડાયા પછી કૉંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અદાણીની ધરપકડની માગ કરી છે.
તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અદાણી પાછળ ઊભા છે અને તેમને બચાવી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે હવે પૂર્ણ રીતે સ્પષ્ટ છે કે અદાણીએ અમેરિકા અને ભારત બંને જગ્યાએ કાયદો તોડ્યો છે.
તેમણે કહ્યું કે, "મને આશ્ચર્ય થાય છે કે અદાણી અત્યારે પણ આ દેશમાં કેવી રીતે ખુલ્લે આમ ફરી રહ્યા છે, જ્યારે મુખ્ય મંત્રીઓની ધરપકડ થઈ રહી છે. અદાણી પર કોઈ તપાસ નથી થઈ રહી. અમે આ મુદ્દો સતત ઉઠાવતા રહીશું."
"અમે જે કહી રહ્યા હતા, આ એ જ તરફ ઇશારો કરે છે કે વડા પ્રધાન અદાણી સાથે મળેલા છે, તેઓ અદાણીની સુરક્ષા કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીજીએ એક નારો આપ્યો છે કે એક છીએ તો સેફ છીએ. હિંદુસ્તાનમાં અદાણીજી અને મોદીજી એક છે તો સેફ છે. અહીં તેમનું કંઈ ન થઈ શકે."
"ભારતમાં મુખ્ય મંત્રી 10-15 કરોડ માટે જેલમાં જતા રહે છે પરંતુ હજારો કરોડો માટે અદાણીજી આઝાદ ફરે છે. કારણ છે કે મોદી અદાણીને છાવરે છે. અદાણીજીની ધરપકડ કરવી જોઈએ. આજે જ કરવી જોઈએ. માધબી પુરી બુચને હટાવવા જોઈએ."
તેમણે આગળ કહ્યું કે,"હું ગૅરેન્ટી આપીને કહું છું કે આ વ્યક્તિની ન ધરપકડ થશે અને ન કોઈ કાર્યવાહી થશે કારણ કે વડા પ્રધાન તેમની સાથે છે."
રાહુલ ગાંધીને સવાલ પૂછવામાં આવ્યો કે વિપક્ષી પાર્ટીની સરકારો પણ તેમના રાજ્યમાં ચાલતા અદાણીના પ્રોજેક્ટની સમીક્ષા કરશે. તેની પર તેમણે કહ્યું કે, "જ્યાં પણ ભ્રષ્ટાચાર છે, ત્યાં તપાસ થવી જોઈએ.પરંતુ શરૂઆત અદાણીથી થવી જોઈએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે, અંતમાં હું તમને જણાવું છું કે નરેન્દ્ર મોદીનો હાથ નીકળશે. એક રીતે અદાણીજીએ ભારતને હાઈજૅક કરી લીધું છે. બધું તેમના હાથમાં છે. અદાણીની ધરપકડ કરાવવાની ભારતના વડા પ્રધાનની ક્ષમતા નથી કારણ કે જે દિવસે તેમની ધરપકડ થઈ, તેની ધરપકડ થઈ તે દિવસે તેઓ (પીએમ) પણ જશે."
ગૌતમ અદાણી પર અમેરિકામાં છેતરપિંડીના આરોપ મામલે ભાજપે શું કહ્યું.
અમેરિકામાં ભારતીય વેપારી ગૌતમ અદાણી પર આક્ષેપ નક્કી થયા પછી વિપક્ષી દળોની પ્રતિક્રિયાનો જવાબ ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ આપ્યો છે.
તેમણે સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું છે કે કોઈ પણ મુદ્દે પ્રતિક્રિયા આપતાં પહેલાં તેને વાંચી લેવું સારું છે. તમે જે દસ્તાવેજના આધારે વાત કરી રહ્યા છો તેના અનુસાર આરોપ લગાવવમાં આવ્યા છે. અને જ્યાર સુધી આરોપ પુરવાર નથી થતા ત્યાર સુધી વ્યક્તિ નિર્દોષ હોય છે.
અમિત માલવિયે આ મામલાને સંસદના શિયાળુ સત્રની શરૂઆત સાથે જોડીને પણ સવાલ કર્યા છે.
તેમણે લખ્યું છે કે, "આરોપના મૂળમાં મામલો સોલર એનર્જી કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાને ભારત અને અમેરિકાની કંપનીઓ મારફતે 12 ગીગા વૉટ વીજળીની સપ્લાય સાથે જોડાયેલો છે. એટલે આ એસઈસીઆઈના સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટમાં સામેલ થવાનો મામલો છે. અને અદાણી ગ્રીન એનર્જીનો અમેરિકા રિન્યુએબલ એનર્જી અજ્યુર પાવર સાથે કરાર થયો હતો."
ગૌતમ અદાણી પર તેમની એક કંપનીને કૉન્ટ્રેક્ટ અપાવવા માટે 25 કરોડ ડૉલરની લાંચ આપવા અને આ મામલાને છુપાવવાના આરોપ લાગ્યા છે.
અમેરિક પ્રૉસિક્યુટર્સે આરોપ લગાવ્યો છે કે અદાણી અને તેમની કંપનીના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પોતાની અક્ષય ઊર્જા (રિન્યુએબલ એનર્જી) કંપનીને કૉન્ટ્રેક્ટ અપાવવા માટે ભારતીય અધિકારીઓને ચુકવણી કરવા માટે સહમતી વ્યક્ત કરી હતી.
કૉંગ્રેસે ગૌતમ અદાણી મામલે શું કહ્યું?
ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં લાંચ દેવાના આરોપ પછી કૉંગ્રેસ પાર્ટીએ પ્રતિક્રિયા આપી.
કૉંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું કે, "આરોપ છે કે અમેરિકામાં કૉન્ટ્રૅક્ટ મેળવવા માટે અદાણીએ 2200 કરોડની લાંચ આપી છે. જ્યારે આ મામલાની તપાસ શરૂ થઈ તો તેને રોકવાનું કાવતરું પણ ઘડવામાં આવ્યું. હવે અમેરિકામાં અદાણી વિરુદ્ધ ધરપકડનું વૉરન્ટ નીકળ્યું છે. અજબ વાત છે. કૉંગ્રેસ સતત અદાણી અને તેમની સાથે જોડાયેલા ગોટાળાની તપાસની વાત કરી રહી છે, પરંતુ નરેન્દ્ર મોદી પૂરી શક્તિ સાથે અદાણીને બચાવવામાં લાગ્યા છે. કારણ સ્પષ્ટ છે-અદાણીની તપાસ થશે તો દરેક કડી નરેન્દ્ર મોદી સાથે જોડાશે."
ત્યારે કૉંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા ઍક્સ પર પ્રતિક્રિયા આપી.
જયરામ રમેશે લખ્યું કે, "કૉંગ્રેસ આવા આરોપ જાન્યુઆરી 2023થી લગાવી રહી છે અને ગૌતમ અદાણી મામલે જેપીસીની માગ કરી રહી છે."
બુધવારે ન્યૂ યૉર્કના અટર્નીએ ગૌતમ અદાણી પર અમેરિકામાં છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.
તેમની પર અમેરિકામાં પોતાની એક કંપનીને કૉન્ટ્રૅક્ટ અપાવવા માટે 25 કરોડ ડૉલરની લાંચ આપવા અને આ મામલાને છુપાવવાના આરોપ લગાવાયા છે.
અમેરિકન પ્રૉસિક્યૂટર્સે આરોપ લગાવ્યો છે કે અદાણી અને તેમની કંપનીના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પોતાની અક્ષય ઊર્જા (રિન્યુએબલ એનરજી) કંપનીને કૉન્ટ્રૅક્ટ અપાવવા માટે ભારતીય અધિકારીઓને ચુકવણી કરવા પર સહમતી દર્શાવી હતી.
No comments:
Post a Comment