‘માં' એક જ અક્ષરનો બનેલો રાબ્દ છે. જેનામાં ગજબની શક્તિ સમાયેલી છે. ‘માં’ ની આંખમાં તથા તેના હાવભાવમાં મમતારૂપી દરિયો દેખાય છે. ‘મા’ નાનો શબ્દ છે. પરંતુ તેમાં વિશાળ લાગણીરૂપી ડુંગરમાંથી રમતી ભમતી હેતરૂપી નદીઓમાંથી વહેણ વહેતા દેખાય છે. તેનું બાળક તેના પ્રાણથી પણ વહાલું હોય છે. તેનું જતન કરવામાં તે કોઈ ખામી રાખતી નથી, ‘માં’ ના હ્રદયનો એક અંશ હોવાથી પોતાના માટે તેનું બાળક જ સર્વસ્વ છે.
ભગવાનને ભજવાથી 'માં' નથી મળતી, પણ 'માં' ને ભજવાથી ભગવાન અવશ્ય મળે છે, કારણ કે,...
“ઈશ્વર નિરાકાર છે, જ્યારે માં સાકાર છે, ઈશ્વર કલ્પના છે, જ્યારે માં હકીકત છે, ઈશ્વર શ્રધ્ધા છે. જયારે માં સાક્ષાતકાર છે. ”
કહેવાય છે, કે માનવી મહેનત કરે તો બધું જ મેળવી શકે છે. પરંતુ ‘માં’ તો નહીં જ મળે, એ તો કુદરતની દેણ છે. ભગવાન બધે પહોંચી ન શકે એટલે એણે ‘માં’ ને બનાવી અને માં ની સામે જુઓ તો આપણને લાગે છે કે..,
ऐ माँ, तेरी सूरत से अलग..,
भगवान की सूरत क्या होगी।
અણધાર્યાં આવી પડે,
જ્યારે દુઃખના ઘા,
ત્યારે નાભીથી વેણ ઉપડે ને,
મોઢે આવે પહેલો શબ્દ ‘માં’.
“પહેલે રે માતા, પછી કે પિતા..,
માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ..,
પછી લેવું પ્રભુ કેરું નામ..,
મારે નહી જાવું તીર્થંધામ...”
ઘરમાં કાશી ને ઘરમાં મથુરા,
ઘરમાં ગોકુળિયું ગામ,
મારે નથી જાવું તીર્થંધામ.
'માં' આપણા સુખનાં ગુણાકાર કરે કે ન કરે, પરંતુ
આપણા દુઃખના ભાગાકાર તો જરૂર કરવાની.
‘માં’ એ ઉઘડતી સવારનો પ્રકાશ છે,...
અને આથમતી સંધ્યાની શીતળતા છે.
‘મા' દુનિયાની દરેક ભાષામાં વાત્સલ્યનું એકાક્ષરી કાવ્ય છે. દુનિયામાં સૌથી સુંદર સાદ છે. ‘મારી માં’
હું અમુક વર્ષ પહેલાં એક શહેરમાં ગયેલો હતો. ત્યાં બે ભાઈઓનાં બંગલા હતાં. એક ભાઈના બંગલાનું નામ માતૃછાયા, તથા બીજા ભાઈનાં બંગલાનું નામ "પિતૃછાયા" લખેલું જોવા મળ્યું. હું તો આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે આ જમાનામાં કોઈ પોતાનાં માં - બાપના નામની તક્તિ બંગલા પર મુકે નહીં.
મને થયું કે લાવને આવા બંગલામાં રહેતા રહીશને મળવા જઉં. જેથી હું બન્ને ભાઈઓનાં બંગલામાં ગયો. મેં બન્ને ભાઈઓનાં બંગલામાં જઈને તેમના મા-બાપને મળવાની ઈચ્છા વ્યક્ત કરી.
ત્યારે બન્ને ભાઈઓએ મને કહ્યું, "અમે તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને તથા અમારી વહુઓને એમની જોડે બનતું ન હોવાથી વૃધ્ધાશ્રમમાં મુકી આવ્યા છીએ.
તો મેં જણાવ્યું કે “તમે તમારા માતા-પિતાને તમારા ઘરે પાછા લઈ આવો અથવા તમારા બંગલાના પાટિયા પર માતૃછાયા અને પિતૃછાયા કાઢી ને ‘પત્તિકૃપા’ લખાવી દો‘ સંતાનોની હયાતીમાં વૃધ્ધાશ્રમમાં રહેતા એકલાં વિધવા માતા-પિતા એ આપણાં સમાજનું કલંક છે અને આવા વૃધ્ધાશ્રમો અને આવા ઘરડા ઘરો એ જીવતી જાગતી લાશ સમા માતા-પિતાના કબ્સ્રતાનો જ છે.
પહેલાના યુગમાં દીકરાઓ 'માં-બાપ' ની સાથે રહેતા પરંતુ હવે આ જમાનામાં મા-બાપ દીકરાઓ સાથે રહે છે. પહેલાનાં જમાનામાં આદર-સન્માન તથા અધિકાર સાથે રહેતી મા આજે ઉપકાર તથા અપમાન સાથે રહે છે.
મા' સાથેનો સંબંધ બાંધવાનો હોતો નથી જેથી બગાડવાનો કે તોડવાનો સવાલ જ ઉત્પન્ન થતો નથી. 'મા' નો સંબંધ જન્મથી જે અતૂટ છે. ‘માં' એક એવી મમતાની મૂર્તિ છે જે તેના દીકરાનાં માથા પર વહાલભર્યો હાથ ફેરવીને હિંમત આપતી હોય છે.
‘માં’ ના ફક્ત સ્પર્શમાં જ આશ્વાશન તથા
દુવા અને આર્શિવાદ સમાયેલા હોય છે.
લોકોની નજરમાં દીકરો ઝીરો હોય પરંતુ,
'માં' માટે તો એ દીકરો હીરો જ હોય...
मैं जीवन की आपाधापी में,
दौड़ता जाता वक़्त के साथ मैं,
जब भी थक कर घर आऊ,
मेरा माथा चूमना मेरी माँ।
मैं मन में अपने बोझ लिये,
जिम्मेदारियां सर पर रोज़ लिये,
खुद को हारा जब पाऊँगा,
मेरा माथा चूमना मेरी माँ।
मैं यौवन के किरदार में हूँ,
कुछ नये नये आकार में हूँ,
कभी टूटकर जो बिखर जाऊ,
मेरा माथा चूमना मेरी माँ।
मैं राह ना जब तय कर पाऊ,
कभी मंज़िल से भटक जाऊ,
जब आऊंगा लेकर अँधियारा,
मेरा माथा चूमना मेरी माँ।
जब जीवन बे-राग सा हो जाए,
एक धुन भीतर कही खो जाए,
अधूरी ताल लिये जब आऊंगा,
मेरा माथा चूमना मेरी माँ।
बाहर की रोटी बासी है,
बाहर का पानी साफ नहीं,
भूख प्यास लिये जब आऊंगा,
मेरा माथा चूमना मेरी माँ।
मेरा माथा चूमना मेरी माँ,
अपने दामन में मुझे पनाह देना,
मैं जब-जब ज़िंदगी को कोसु,
मुझे तब-तब जीना सिखा देना।
Follow Us On Over Social Media Platforms:-
Facebook :- @Vats Asodariya
Instagram :- @vats_asodariya
YouTube :- @va_digital
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Ignore Tags 🤫
#vats_asodariya #va_blog #va_digital #mothersday #mothersdayspecial #Mothersday2023 #lovelife #કટ્ટારની_કલમે
No comments:
Post a Comment