ચંદ્રયાન-3માં અમદાવાદ ઇસરોનો મહત્વનો ફાળો આપ્યો છે. જેમાં અમદાવાદ ઇસરો દ્વારા અલગ અલગ પાર્ટ બનાવાયા છે. તેમાં 11 જેટલા પાર્ટ અમદાવાદ ઈસરોએ બનાવ્યા છે. તેમજ અમદાવાદ ઇસરોએ સેટેલાઈટના સેન્સર, પેલોડ બનાવ્યા હતા.
પ્રોસેસિંગ સિસ્ટમ, રોવરનું ઈમેજ મેકર અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યું.
કેમેરા સિસ્ટમ, કાર્બન અલ્ટીમીટર સેન્સર સાથે પ્રોસેસિંગ સિસ્ટમ, રોવરનું ઈમેજ મેકર અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ચંદ્ર ઉપર સરળતાથી લેન્ડિંગ માટે સેન્સર, પેલોડની ખૂબ જરૂર પડે છે. ભારત વધુ એક સિદ્ધિ પોતાના નામે કરવા જઈ રહ્યું છે. ભારત હવે સેટેલાઈટ ક્ષેત્રે પણ વિશ્વના દેશોને પાછળ રાખવાની ક્ષમતા ધરાવી રહ્યું છે. આજે શ્રીહરિકોટાથી ચંદ્રયાન-3 સેટેલાઈટ છોડવામાં આવશે. ચંદ્રયાન-2 ની અંદર પણ ભારતે પોતાના પ્રથમ પ્રયાસે ચંદ્રના દક્ષિણ ભાગમાં સૌથી દૂર સુધી પહોંચવાનો રેકોર્ડ કર્યો હતો.
4 વર્ષના ટૂંકા ગાળામાં ભારત ફરી એકવાર ચંદ્ર પર પોતાનું સેટેલાઈટ છોડવા તૈયાર થયું.
4 વર્ષના ટૂંકા ગાળામાં ભારત ફરી એકવાર ચંદ્ર પર પોતાનું સેટેલાઈટ છોડવા તૈયાર થયું છે. ચંદ્રયાન-3 બનાવવામાં પણ અમદાવાદ ISRO ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે. ચંદ્રયાન 3 એ ચંદ્રયાન-2 નું ફોલોપ મિશન છે. ચંદ્રયાન-2 ની અંદર સફળતા પ્રાપ્ત થઈ ન હતી જેના થકી જ ચંદ્રયાન-3 બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સખત મહેનત બાદ આખરે તે ચંદ્રયાન-3 છોડવામાં આવશે. ભારતની અંદર આવેલા તમામ ISRO એ આમાં ખૂબ જ મહત્વનો યોગદાન આપ્યું છે. જેમાં અમદાવાદ ખાતે આવેલ અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટરનું પણ ખૂબ જ મોટું યોગદાન છે.
શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે.
શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે. તથા ચંદ્રયાન 3 બપોરે 2:35 વાગ્યે ચંદ્ર તરફ ઉડાન ભરશે. જેમાં લેન્ડર-રોવર 45 થી 50 દિવસમાં સોફ્ટ લેન્ડિંગ કરશે. સાથે જ ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડિંગ કરશે. ચંદ્રયાન-3માં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલનો સમાવેશ થાય છે, અને તેનું વજન કુલ 3,900 કિગ્રા છે. આ રોવર ચંદ્રયાન-2 ના વિક્રમ રોવર જેવું જ છે, પરંતુ સુરક્ષિત લેન્ડિંગની ખાતરી કરવામાં મદદ કરવા માટે સુધારાઓ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. તમે ચંદ્રયાન-3નું લાઈવ લોન્ચિંગ ઓનલાઈન અથવા મોબાઈલ પર ઘરે બેઠા જોઈ શકો છો.
No comments:
Post a Comment