Pages

Thursday, 13 July 2023

Chandrayaan જુલાઈ મહિનામાં જ કેમ લોંચ કરાય છે..?

શ્રીહરિકોટાથી ચંદ્રયાન-3 ચંદ્ર પર જવા રવાના થશે એ સાથે ભારત ચંદ્રની સપાટી પર અવકાશયાન ઉતારનાર ચોથો દેશ બની જશે. આ પહેલાં અમેરિકા, રશિયા અને ચીન આ પરાક્રમ કરી ચૂક્યાં છે તેથી ભારત તેમની હરોળમાં આવી જશે. ચંદ્રયાન-3 ચંદ્રની ધરતી પર ઊતરશે ને ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવશે એ સાથે જ ભારત ચન્દ્ર પર રાષ્ટ્રધ્વજ ફરકાવનારો ચોથો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક પહોંચનારો પહેલો દેશ બની જશે.

આ સિદ્ધિ મોટી હશે પણ એ પહેલાં આ મિશન સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓના હૃદયના ધબકારા વધી ગયા છે કેમ કે ચંદ્રયાન-3 તેમની ક્ષમતાની કસોટી કરનાં મિશન છે. ભારતે આ પહેલાં મોકલેલું ચંદ્રયાન-2 મિશન છેલ્લા તબક્કામાં નિષ્ફળ ગયું હતું. ભારતે બરાબર છ વર્ષ પહેલાં એટલે કે 22 જુલાઈ 2019ના રોજ ચંદ્રયાન 2ને ચંદ્રની સફરે રવાના કર્યું હતું. ચંદ્રની સફર માટે જુલાઈ મહિનો જ પસંદ કરાય છે કેમ કે વર્ષના આ સમયે પૃથ્વી અને ચંદ્ર એકબીજાની સૌથી નજીક હોય છે.

આ કારણે ચંદ્રયાન-2 પણ 2019ના જુલાઈ મહિનામાં લોંચ કરાયેલું પણ એ નિષ્ફળ ગયું હતું. ચંદ્રયાન લેન્ડર પાછું ફરતું હતું ત્યારે આંચકા સાથે પૃથ્વીની સપાટી સાથે અથડાયું અને તેનો પૃથ્વીના કંટ્રોલ રૂૂમ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ઈસરોના વિજ્ઞાનીઓએ વરસોની મહેનત પછી મોકલેલા ચંદ્રયાન-2 ને છેક છેલ્લી ઘડીએ વિઘ્ન નડી ગયું તેથી તેમનામાં નિરાશા વ્યાપી ગયેલી પણ આ નિરાશાને ખંખેરીને તેમણે ચંદ્રયાન-3 મિશનને સફળ બનાવવા પૂરી તાકાત લગાવી દીધી છે. ઈસરોના ચેરમેન એસ.

સોમનાથે પોતે કહ્યું છે કે, ચંદ્રયાન-2ની ભૂલોમાંથી શીખીને ચંદ્રયાન-3માં અમે બહુ સુધારો કર્યો છે. 2019 માં ચંદ્રયાન-2 ને આંશિક સફળતા મળી હતી પણ તેને પાછું નહોતું લાવી શકાયું. ચંદ્રયાન-3ને તૈયાર કરતી વખતે ચંદ્રયાન-2ની દરેક ખામીનો ઉપાય શોધવામાં આવ્યો છે અને તેને માટે 4 વર્ષમાં સતત ટેસ્ટિંગ કરાયું છે. કોઈ પણ પ્રોજેક્ટમાં સો ટકા સફળતાની ગેરંટી હોતી નથી ને નિષ્ફળતાની તૈયારી રાખવી જ પડે.

ચંદ્રયાન-3ની નિષ્ફળતાના કિસ્સામાં શું થઈ શકે અને તેના ઉકેલ અથવા વિકલ્પો શું હોઈ શકે એ વિશે પૂરી તૈયારી કરાઈ છે કે જેથી ચંદ્રયાન 3 નિષ્ફળ જવાના કોઈ ચાન્સ ના રહે. ભારતે ચંદ્રયાન-1 મિશન વખતે મૂન ઈમ્પેક્ટ પ્રોબ છોડ્યું હતું અને તેણે ચંદ્ર પર પાણી હોવાના સંકેત આપ્યા હતા. ચન્દ્રયાન-2નું ક્રેશ લેન્ડિંગ પણ આ જ સ્થળે થયું હતું. ચંદ્રયાન-3 હવે એ તપાસ આગળ વધારશે.

ચંદ્ર પર પાણી મળે તેનો અર્થ એ થાય કે, માનવજીવન શક્ય છે. ચંદ્રયાન-3 પર આ કારણે આખી દુનિયાની નજર છે. દુનિયાભરના વિકસિત દેશો પૃથ્વી સિવાયના દેશો પર માનવજીવન શક્ય છે કે નહીં તેની તપાસમાં લાગેલા છે ત્યારે ભારતનું મિશન તેમને મદદરૂૂપ થાય એ બહુ મોટી વાત કહેવાય. ભારત ટેક્નોલોજીમાં બહુ આગળ નથી છતાં આવું જબરદસ્ત યોગદાન આપે એ મોટી વાત છે જ.

No comments:

Post a Comment