Pages

Sunday, 21 January 2024

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ચર્ચામાં છે શંકરાચાર્ય! જાણો તેમના વિશે, હિન્દુ ધર્મમાં કેટલું મહત્વનું છે આ પદ..?


અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશથી ઘણા લોકો સામેલ થવાના છે. જો કે, આ કાર્યક્રમમાં સામેલ થવાની કટેલાક શંકરાચાર્યએ ઈનકાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે, આ કાર્યક્રમ સનાતન ધર્મ અનુસાર થઈ રહ્યું નથી. ત્યારે જાણો કોણ હોય છે શંકરાચાર્ય અને હિન્દુ ધર્મમાં કેટલું હોય છે આ પદ મહત્વ.

હિંદુ ધર્મમાં શંકરાચાર્ય સર્વોચ્ચ ગુરૂનું પદ હોય છે. ભારતમાં ચાર મઠોમાં ચાર શંકરાચાર્ય હોય છે. જે પ્રકાર બંધારણની વ્યાખ્યા કરવાને લઈને ફાઈનલ ઓથોરિટી સુપ્રીમ કોર્ટ પાસે હોય છે, તે પ્રકારે હિંદુ ધર્મમાં અને હિંદુ ધર્મગ્રંથોની વ્યાખ્યા કરવા માટે શંકરાચાર્ય સર્વોચ્ચ ગુરૂ હોય છે.

શંકરાચાર્ય પદના ઈતિહાસની વાત કરીએ તો, તેની શરૂઆત આદિ શંકરાચાર્યથી માનવામાં આવે છે. આદિ શંકરાચાર્ય એક હિંદુ દાર્શનિક અને ધર્મગુરૂ હતા. તેઓ કેરળના એક ગામમાં જન્મ્યા હતા. તેમણે જગદગુરૂના નામથી પણ ઓળખવામાં આવે છે.

આદિ શંકરાચાર્યએ સનાતન ધર્મની પ્રતિષ્ઠા માટે ભારતમાં ચાર અલગ-અલગ ક્ષેત્રોમાં ચાર મઠોની સ્થાપના કરી હતી. આ ચાર મઠ જ્યોતિર્મઠ (બદ્રીનાથ), શ્રૃંગેરી મઠ (ચિકમંગલૂર), ગોવર્ધન મઠ (જગન્નાથ પુરી ) અને શારદા મઠ (દ્વારકા) છે. વર્તમાન શંકરાચાર્યો વિધુશેખર ભારતી (શ્રૃંગેરી મઠ), નિશ્ચલાનંદ સરસ્વતી (ગોવર્ધન મઠ), સ્વામી અવિમુક્તેશ્વરાનંદ (જ્યોતિર્મઠ) અને સ્વામી સદાનંદ સરસ્વતી (દ્વારકા પીઠ) છે. ચારો ધામોને આદિ શંકરાચાર્યએ જ સ્થાપિત કર્યા હતા.

શંકરાચાર્યના પદ પર બેસનાર વ્યક્તિને ત્યાગી, દંડી સંન્યાસી, સંસ્કૃત, ચતુર્વેદ, વેદાંત બ્રાહ્મણ, બ્રહ્મચારી અને પુરાણોનું જ્ઞાન હોવું ઘણું જરૂરી છે. આ સિવાય તે વ્યક્તિ રાજનીતિ સાથે જોડાયેલો હોવો જોઈએ નહીં.

✒️ Vats Asodariya (કટ્ટારની કલમે)

Follow Us On Over Social Media Platforms:-
Facebook :- @Vats Asodariya 
Instagram :- @vats_asodariya
YouTube :- VA Digital

No comments:

Post a Comment