અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે રામ મંદિરના મુખ્ય આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાએ રામ મંદિર લઈને ઘણી જ મહત્વની જાણકારી આપી છે. દૈનિક જાગરણના પત્રકાર એકતા જૈન સાથે વાત કરતા ચંદ્રકાંત સોમપુરાએ કહ્યું કે મંદિરના પહેલા માળે રામલલા બિરાજશે, જ્યારે બીજા માળે રામલલાનો દરબાર હશે.
નાગર શૈલીમાં બન્યું છે રામ મંદિરઃ ચંદ્રકાંત સોમપુરા.
ચંદ્રકાંત સોમપુરાએ જણાવ્યું કે અયોધ્યામાં તૈયાર થઈ રહેલું રામ મંદિર નાગર શૈલીમાં બનાવાયું છે. તેમણે જણાવ્યું કે જ્યારે તમે ઉપર મધ્ય ભારતમાં તો ત્યાંથી આખા હિમાલય સુધી નાગર શૈલીના મંદિર બનેલા છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં લગભગ-લગભગ તમામ મંદિર નાગર શૈલીમાં જ બનાવવામાં આવ્યા છે.
મંદિરનો ત્રીજો માળ આ માટે બનાવવામાં આવ્યો.
મંદિરમાં રામલલા કયાં બિરાજશે તેના પર તેમણે કહ્યું કે- પહેલા માળે રામલલા બિરાજશે અને બીજા માળે રામ દરબાર હશે. તેમણે કહ્યું કે- આ માટે મંદિરની લંબાઈ અને પહોળાઈમાં વધારો કરાયો છે. મુખ્ય આર્કિટેક્ટ સોમપુરાએ કહ્યું કે- જ્યારે લંબાઈ-પહોળાઈ વધારવામાં આવે છે તો તેની ઉંચાઈ પણ વધારવામાં આવે છે. આ જ કારણ છે કે મંદિરનો ત્રીજો માળ બનાવવામાં આવ્યો અને શિખર પણ ઉંચુ કરાયું છે.
વાલ્મીકિ રામાયણનું વર્ણન કરાયું.
સોમપુરાએ રામલલા મંદિરને અનોખું ગણાવતા કહ્યું કે- નીચે પરિક્રમાવાળા ભાગમાં ત્રણ-ત્રણ ફુટના પિલર છે, જેના પર થ્રી ડાઈમેન્શનમાં વાલ્મીકિ રામાયણનું વર્ણન કરાયું છે.
મંદિરના માર્બલ અંગે શું કહ્યું સોમપુરાએ?
અલગ-અલગ જગ્યાએથી માર્બલ મંગાવવા અને પ્રાકૃતિક સુંદરતાથી જોડાયેલા એક સવાલના જવાબમાં ચંદ્રકાંત સોમપુરાએ કહ્યું કે- પહેલાથી જ એવી વાત હતી કે આખું મંદિર માર્બલનું બનશે પરંતુ અશોક સિંઘલજીના સમયમાં જે અમે વંશીપારપુરના પથ્થર રાખ્યા હતા તેનો પણ ઉપયોગ કરવાનો હતો. તેમણે જણાવ્યું કે- આ મંદિરના નિર્માણમાં અનેક લોકોએ યોગદાન આપ્યું છે. તેમણે જણાવ્યું કે વર્ષ 1980ના સમયમાં આ મંદિરના નિર્માણમાં અનેક લોકોએ સવા-સવા રુપિયાનું યોગદાન આપ્યું છે અને તેનો પણ ઉપયોગ અમે કર્યો છે.
✒️ Vats Asodariya (કટ્ટારની કલમે)
Follow Us On Over Social Media Platforms:-
Facebook :- @Vats Asodariya
Instagram :- @vats_asodariya
YouTube :- VA Digital
No comments:
Post a Comment