સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગસ્ટ આપણા દેશના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ દિવસે આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી. આપણે સૌ જાણીએ છીએ કે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશને આઝાદી અપાવવા માટે કેટલો સંઘર્ષ કર્યો હતો.
સહુ કોઈ જાણે છે કે ભારતમાં રાષ્ટ્રપતિ સર્વોચ્ચ પદ પર હોય છે. તો પછી માત્ર વડાપ્રધાન જ શા માટે 15 ઓગસ્ટે ધ્વજ ફરકાવે છે.
આવો જાણીએ આનુ કારણ :-
આપણા દેશનું બંધારણ 1947માં તૈયાર થયું ન હતું અને તે સમયે ભારતમાં સર્વોચ્ચ પદ વડાપ્રધાનનું હતું. તેથી જ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ દેશમાં પ્રથમ વખત ધ્વજ ફરકાવ્યો હતો. એક અહેવાલ અનુસાર, પંડિત નેહરુએ 16 ઓગસ્ટ 1947ના રોજ લાલ કિલ્લાના લાહોર ગેટની ટોચ પરથી ધ્વજ ફરકાવ્યો હતો કારણ કે તેઓ 15 ઓગસ્ટે લાલ કિલ્લા સુધી પહોંચી શક્યા ન હતા.
ત્યારથી અત્યાર સુધી 16 ઓગસ્ટના રોજ દેશના વડાપ્રધાન જ ધ્વજ ફરકાવતા આવ્યા છે. 22 જુલાઈ, 1947ના રોજ, બંધારણ સભાએ ત્રણ તકતીઓ અને મધ્યમાં અશોક ચક્ર સાથે ભારતીય ધ્વજ અપનાવ્યો. જે પછી કોંગ્રેસ પાર્ટીનો ત્રિરંગો ધ્વજ આખરે સ્વતંત્ર ભારતનો ત્રિરંગો ધ્વજ બની ગયો.
ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઈન પિંગાલી વેંકૈયા દ્વારા બનાવવામાં આવી હતી. તેઓ આંધ્રપ્રદેશના ભારતીય સ્વતંત્રતા સેનાની હતા. ભારતમાં 7 ઓગસ્ટ, 1906ના રોજ કલકત્તાના પારસી બાગન સ્ક્વેર (ગ્રીન પાર્ક) ખાતે પ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
No comments:
Post a Comment